શ્રી રાજપૂત કરણી સેનાએ સુખદેવસિહ ગોગામેડીની હત્યા મામલે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું - At This Time

શ્રી રાજપૂત કરણી સેનાએ સુખદેવસિહ ગોગામેડીની હત્યા મામલે હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું


આવતા દિવસોમાં આવા બનાવ બનશે તો રાજપૂત સમાજ સાખી લેશે નહિ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરી દેવાતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાથી આખા દેશના રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. ત્યારે હળવદ રાજપૂત કરણી સેના દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની નિર્મમ હત્યા ખુબ જ ચિંતાજનક છે. સતત આવી ઘટનાઓ બની રહી છે. શાસન અને પ્રશાસને આવી ગંભીર ઘટનાઓ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી નથી. જેથી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, દોષીતોને કડક સજા થાય અને રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા તથા કરણી સેનાના પ્રમુખ નેતાઓને સારી સુરક્ષા આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજપૂત સમાજના અગ્રણીઓને નિશાન બનાવીને તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. જે રાજપૂતસમાજ સાખી લેશે નહીં. જો આમ જ ચાલતુ રહેશે તો આવતા દિવસોમાં નાછૂટકે અમારા સમાજને અયોગ્ય માર્ગે ચાલવા પર મજબૂર કરવો પડશે. આવનારા સમયમાં આવી અન્ય ઘટનાઓ ના બને એવી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના હળવદ ની માંગ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.