દશેરાથી ગાયબ યુવકનો કહોવાયેલો મૃતદેહ મળ્યો. - At This Time

દશેરાથી ગાયબ યુવકનો કહોવાયેલો મૃતદેહ મળ્યો.


શહેર નજીક મારેઠા ગામની ઝાડીઓમાં બુધવારે સવારે યુવકની કોહવાઇ ગયેલી ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હતી . આ વિષે મકરપુરા પોલીસને અને પરિવારને જાણ કરવામાં આવતા મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો . મારેઠાની લીમડી ફળિયામાં રહેતા અજય ઉદેસિંગ બારીયા ( ઉ . વ -28 ) મકરપુરા GIDC માં ફેબ્રિકેશનનું કામ કરતા હતો . અજય દશેરાના દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો . 3 મહિના પહેલા પણ તે આવી રીતે ઘરેથી કોઈને તે કહ્યા વગર જતો રહ્યો હતો અને પાછો આવી ગયો હતો . જેથી પરિવારે ગુમ થયા અંગેની ફરિયાદ કરી નહોતી . બુધવારે સવારે 10 વાગ્યાના અરસમાં ગામની જાડીઓમાંથી ઝાડ પર લટકતી કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી . લાશ મળવાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરાતાં ગામલોકોના ટોળા વળી ગયા હતા . આ દરમિયાન જાણ થઈ હતી કે આ મૃતદેહ અજય ઉદેસિંગ બારીયાનો હતો . પોલીસને પણ તાત્કાલિક બોલાવી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.