શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી બે દેહદાનના સંકલ્પપત્ર ભરવામાં આવ્યાં - At This Time

શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી બે દેહદાનના સંકલ્પપત્ર ભરવામાં આવ્યાં


શ્રી મહેર શક્તિ સેના - પોરબંદર તેમજ સ્વર્ગસ્થ ચક્ષુદાતા શ્રી રોશનીબેન ઓડેદરા પરિવાર દ્વારા ઘેડ બગસરા ગામમાં મહેર સમાજ ખાતે રોશનીબેન ના સ્મરણાર્થે રક્ત દાન શિબિર તથા જનરલ મેડિકલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા યજ્ઞ મા તારીખ ૭/૧/૨૩ ના રોજ ઉપસ્થિત હંટરપુર ગામ ના વતની અને સ્વાધ્યાય પરિવાર સાથે જેમનો અનન્ય નાતો છે .અને પોતાના ૬૮ વર્ષના આયુષ્યમા ૨૬ વર્ષ સુધી રેગ્યુલર રક્ત દાતા રહીને ૭૮ વખત રક્ત દાન કર્યું છે એવા વડીલ મુરબ્બી શ્રી વિરમ ભાઈ લખમણભાઈ કડછા દ્વારા દેહદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આવી જ રીતે આ શિબિરમાં ઉપસ્થિત ઘેડ બગસરા ગામ ના વતની અને P.H.C. સેન્ટર બગસરા ખાતે જ આરોગ્ય સુપરવાઈઝરની સેવા આપતા ને ખેતી સાથે સંકળાયેલા એવા માતૃ તુલ્ય ભગીની શ્રી માલીબેન અરજનભાઈ ટીંબા એ પોતાના દેહનું દાન કરવા માટે નું સંકલ્પ પત્ર અર્પણ કર્યું છે.
આદરણીય હંટરપુર નિવાસી વિરમભાઈ તથા આદરણીય ઘેડ બગસરા નિવાસી માલીબેન ના આ સદવિચારને શિવમ્ ચક્ષુ દાન સલાહ કેન્દ્ર-આરેણા પરિવાર વતિ હ્રદય થી વંદન

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.