વિસાવદર ગીર મધ્યે આવેલ કનકાઈ મંદિરે દાતાઓ તરફથી દાન અપાયું - At This Time

વિસાવદર ગીર મધ્યે આવેલ કનકાઈ મંદિરે દાતાઓ તરફથી દાન અપાયું


વિસાવદર ગીર મધ્યે આવેલ કનકાઈ મંદિરે દાતાઓ તરફથી દાન અપાયું.વિસાવદર પંથકના ગીર મધ્યે આવેલ કનકાઈગીર ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે ગાયો માટે લીલો ઘાસચારો મુંબઈ સ્થિત શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા મોકલવામાં આવ્યો હતો
મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન અને પુણ્યનું પર્વ જેથી આ પર્વ નિમિત્તે કનકાઈ મંદિર ગૌશાળા માટે મુંબઈ સ્થિત શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયો માટે લીલો ઘાસચારો મોકલવામાં આવ્યો છે અનિલભાઈ તથા તેમનો પરિવાર કનકાઈ મંદિરની ગાયો માટે વખતોવખત ખોળ ગોળ બાજરાની ઘૂઘરી વગેરે જેવી સેવાઓ આપે છે ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તરફથી દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.