બરવાળા એપીએમસી ખાતે મિલેટ્સ મેળાનું આયોજન - At This Time

બરવાળા એપીએમસી ખાતે મિલેટ્સ મેળાનું આયોજન


બરવાળા એપીએમસી ખાતે મિલેટ્સ મેળાનું આયોજન

તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર.બલદાણીયા,વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.પી.ભટ્ટે મિલેટ વિષેની વિસ્તૃત જાણકારી,તેના ફાયદાઓ,આધુનિક ખેતી પદ્ધતિ વિષે જાણકારી,મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિષે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.