હળવદ મોરબી માળીયા બાયપાસ રોડ પાસે આવેલ નર્મદા કેનાલ માંથી ત્રણ દિવસની શોધખોળ બાદ ત્રણ દિવસે યુવાનોનો મૃતદેહ મળી આવ્યો - At This Time

હળવદ મોરબી માળીયા બાયપાસ રોડ પાસે આવેલ નર્મદા કેનાલ માંથી ત્રણ દિવસની શોધખોળ બાદ ત્રણ દિવસે યુવાનોનો મૃતદેહ મળી આવ્યો


હળવદ ની બાજુમાં આવેલ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલમાં ત્રણ દિવસ પહેલા યુવાન નાહવા ગયો ત્યારે ડૂબી ગયો હતો જે ઘટનાને પગલે હળવદ નગરપાલિકા ની ફાયર ની ટીમ સ્થાનિક તરવૈયાઓ અને મોરબી ફાયર ની ટીમ ત્રણ દિવસથી નર્મદા કેનાલમાં યુવાનની શોધખોળ કરી રહી હતી ત્યારે ત્રણ દિવસની મહેનત બાદ આજે વાંકાનેર ના સંદીપ ભાઈ કીર્તિભાઈ વ્યાસ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર જનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. યુવાનના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.