જસદણમાં ઢોલરીયા પરિવારના મઢ પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયો - At This Time

જસદણમાં ઢોલરીયા પરિવારના મઢ પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયો


જસદણમાં આવેલ મેઈન બજારમાં ઢોલરીયા પરિવારના મઢ પાસે તારીખ 17 એપ્રિલ રામ નવમી થી ચૈત્ર સુદ પૂનમ ને મંગળવારથી તારીખ 23 એપ્રિલ હનુમાન જયંતિ સુધી મંગલમય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તો કે આ સત્કર્મના અવસરમાં સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનોએ સહભાગી થઈ કથા અમૃત નો રસપાન કર્યું હતું અને આ તો કે કથાકાર વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી ગીરીશભાઈ બી ભટ્ટ પોતાના આધ્યાત્મિક જ્ઞાનને શૈલીમાં કથાનું અમૃતપાન કરાવેલ. આ કથામાં સમસ્ત ઢોલરીયા શેરી તથા બજરંગ યુવા ગ્રુપ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું ભવ્ય આયોજન થયું હતું. સપ્તાહમાં નાના બાળકોથી લઇ તમામ ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનોએ તેમજ યુવા મિત્રોએ અને બજરંગ યુવા ગ્રુપના મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.