જોગ આશ્રમ થાનગઢ ખાતે દ્વારકા પીઠ ના શંકરાચાર્ય - At This Time

જોગ આશ્રમ થાનગઢ ખાતે દ્વારકા પીઠ ના શંકરાચાર્ય


જગદગુરુ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આજે ધર્મસભા નું અયયોજન કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજ તારીખ:20/4/2024 ને શનિવારે સાંજે 5 કલાકે પ્રારંભ થયેલ આ ધર્મ સભા માં પ.પૂ.શ્રી રાજેન્દ્રગીરી બાપુ તથા પ.પૂ. શ્રી ભરતગીરી બાપુ (ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી મંદિર), પ.પૂ. શ્રી લાલદાસ બાપુ (શ્રી રામજી મંદિર), પ.પૂ. શ્રી કિશોર બાપુ (શ્રી લાખા બાપુ ની જગ્યા, સોનગઢ), પ.પૂ. શ્રી નારણ દાસ બાપુ(શ્રી અસ્થળ ની જગ્યા) એ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવેલ હતા. કાર્યક્રમ ના અંત માં પ.પૂ. જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજે ધર્મમય વક્તવ્ય રજૂ કરીને ધર્મસભા માં ઉપસ્થિત શ્રોતાજનો ને ધર્મમય વાતાવરણ વચ્ચે મંત્રમુગ્ધ કરી દીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.