ખોડિયારપરામાં બીમારીથી કંટાળી તરૂણીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - At This Time

ખોડિયારપરામાં બીમારીથી કંટાળી તરૂણીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


80 ફૂટ રોડ પરના ખોડિયારપરામાં માથાના દુખાવાથી કંટાળીને 16 વર્ષીય નેન્સી નામની તરુણીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ખોડીયારપરામાં રહેતાં પરપ્રાંતીય સંતોષમંગલ પટેલની 16 વર્ષની પુત્રી નેન્સી ઉર્ફે રાણીએ ગતરોજ પોતાના ઘરે પોતાના રૂમમાં પંખાના હુકમાં ચૂંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
મોડે સુધી પુત્રી રૂમ બહાર ન નીકળતાં પરિવારે અંદર તપાસ કરતાં નેન્સી લટકેલી હાલતમાં જોવા મળતાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને નીચે ઉતારી પીએમમાં સિવિલે ખસેડયો હતો અને અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યું હતું કે, મૃતક નેન્સીનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રેહવાસી અને તેના પિતા મજૂરીકામ કરે છે જેને માથાના દુખાવાથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.નેન્સી ત્રણ ભાઈ બહેનમાં વચેટ હતી જેના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.