તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોનો તાલીમવર્ગ યોજાયો - At This Time

તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોનો તાલીમવર્ગ યોજાયો


વાસ્મો દ્વારા ઓપરેટરોને ટુલકીટ વિતરણ કરવામાં આવી

તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોને પ્રમાણપત્ર અને વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટુલકીટ આપી પંપ ઓપરેટરોને પ્રોત્સાહિત કરાયા હતા.

તળાજા તાલુકાના વિવિધ ૧૪ જેટલા ગામોના પંપ ઓપરેટરો કે જેઓ ગામમાં પાણી વિતરણ કરવાની કામગીરી કરે છે તેઓને સર્ટીફીકેટ કોર્ષ ઈન પંપ મિકેનીકની તાલીમ ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ તળાજા દ્વારા પૂર્ણ થતાં પ્રમાણપત્ર અને વાસ્મો તરફથી રૂ. ૬૦૦૦ ની કિંમતના વિવિધ ઉપયોગી ૧૨ ટૂલ્સ સાથેની ટુલકીટ દરેક પંપ ઓપરેટરને આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા તળાજાના ચીફ ઓફિસરશ્રી કૃપેશભાઈ પટેલ, શ્રી વાળાભાઈ તેમજ વાસ્મોનાં તરફથી શ્રી વિજયભાઈ પરમાર, શ્રી પ્રદીપભાઈ ચૌહાણ અને શ્રી હિતેષભાઈ રાવ વગેરે અધિકારીઓએ હાજરી આપી હતી.

આ તાલીમ આપનાર આઈટીઆઈ તળાજાના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરશ્રી ભાવેશભાઈ પટેલીયાની શ્રેષ્ઠ કામગીરી આચાર્યશ્રી જયભાઈ દવે અને તાલીમ લીધેલા ઓપરેટર દ્વારા ખુબ બિરદાવવામાં આવી હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.