વિહળધામ પાળીયાદ ખાતે પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજીની સભા યોજાઈ - At This Time

વિહળધામ પાળીયાદ ખાતે પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજીની સભા યોજાઈ


વિહળધામ પાળીયાદ ખાતે પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજીની સભા યોજાઈ

બોટાદ જિલ્લામાં સુભાષ પાલેકર કૃષિ S.P.K દ્વારા આજરોજ શિવાર ફેરી અંતર્ગત સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય વિસામણબાપુની જગ્યામાં પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજી દ્વારા ગુજરાત રાજ્યના તથા અન્ય રાજ્યના જીજ્ઞાશું ખેડૂતોના સમૂહને લઈને આજરોજ તારીખ 24/12/23 ના રોજ બોટાદ તાલુકાના બોડી ગામના ખેડૂતના ફાર્મના નિર્દેશન બાદ પાળિયાદ ગામે વિસામણબાપુની જગ્યામાં મહંત મહામંડલેશ્વર 1008 નિર્મળાબા ની પ્રેરણાથી તેમજ અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય ભયલુ બાપુ દ્વારા પદ્મશ્રી સુભાષ પાલેકરજી સાથે તેમની વિચારધારા અનુસાર પ્રકૃત્તિના સંવર્ધન અને સંરક્ષણ માટેની મુહિમ ચલાવનાર જન આંદોલનના બધા જ સભ્યોના આદર સત્કાર અને ખૂબ જ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું તથા પૂજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા અને ભયલુ બાપુ દ્વારા પાલેકરજીને હાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખેડૂતોને અતિ આનંદ થયો તેમજ સંસ્થાનો આદર,સત્કાર,પ્રેમની લાગણીથી ખૂબ જ પ્રભાવિત થયા તેમજ જગ્યામાં જે સદ પ્રવૃત્તિ ચાલી રહી છે તેની માહિતી અને માર્ગદર્શન મેળવી તેઓ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી અને પરમ પૂજ્ય ભઈલુ બાપુ દ્વારા ખેડૂતો માટે પાલેકરજીને ગમે ત્યારે શિબિર ગોઠવવાની થાય તો આ સંસ્થાના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે એવું કહેવામાં આવ્યું ત્યારબાદ તમામ ખેડૂતોએ ઠાકરનો પ્રસાદ લઇ છુટા પડ્યા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.