બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ટી.બીના દર્દીને કરીયાણા કિટ વિતરણ કરાઈ - At This Time

બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ટી.બીના દર્દીને કરીયાણા કિટ વિતરણ કરાઈ


બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ટી.બીના દર્દીને કરીયાણા કિટ વિતરણ કરાઈ

ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પ્રેરિત દિગમ્બર સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા સોનગઢ મધ્યે શ્રી બાહુબલી મુનીન્દ્ર-જમ્બુદ્વીપ ની કુલ-140 જિનેન્દ્ર ભગવાન ની ભવ્ય પ્રતિષ્ઠા ની મંગલ ખુશાલી નિમીત્તે બોટાદ જિલ્લા આરોગ્ય કેન્દ્રની પ્રેરણાથી ટીબીના દર્દીને કરીયાણા કિટ વિતરણ આજ રોજ તા-10/2/2024 ને મહા સુદ-1 બેસતો મહિનો શનિવારના મંગલ દિવસે સવારે 10:00 કલાકે દાતાના આથીઁક સહયોગ થી દિગમ્બર જૈન મંદિરની વાડીએ આપવામાં આવેલ આ પ્રસંગે બોટાદ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડો.અખિલેશ સિંગ સાહેબ RCHO તથા પ્રેરણા સ્ત્રોત સાહેબ દુષ્યત ત્રીવેદી DUPC તથા વિજયભાઈ ડેરવાળીયા DPC તથા સ્ટાફ મેમ્બર અને કરીયાણા કિટના લાભાર્થી દર્દીઓ હાજર રહેલા અને સૌપ્રથમ પૂજય કહાન ગુરુદેવનું માંગલીક મુકી કાર્યક્રમ નો પ્રારંભ કરેલ,મહાનુભાવો એ દિપ પ્રાગટય કરી કિટ વિતરણ કરેલ,આ કાર્યક્રમને સફળ બનાવવા દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરના ટ્રસ્ટી તથા મુમુક્ષુ કાર્યકરોએ જહેમત ઉઠાવેલ અને સફળ બનાવેલ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.