પતિ સાથે ઝઘડો થતાં નેપાળી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ - At This Time

પતિ સાથે ઝઘડો થતાં નેપાળી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ


નાનામવા રોડ પર આવેલ મોકજી સર્કલ પાસે આવેલ અરવન એપાર્ટમેન્ટની ઓરડીમાં રેહતી દુર્ગાબેન નરેશભાઈ બરાનત (ઉ.વ.20) ગતરોજ પોતાના ઘરે હતી ત્યારે પંખાના હુકમાં ચુંદડીથી ગળેફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બહાર ગયેલા તેના પતિ ઘરે આવી ઓરડીનો દરવાજો ખોલતાં પત્નીને લટકતા જોતાં તેને તાત્કાલિક નીચે ઉતારી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પરિણીતાના પતિની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં દુર્ગાબેનના પતિએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર છે જેને ગઈકાલે બહાર ચક્કર લગાડવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ તે પુત્રને લઈ બહાર ચક્કર મારવા લઈ ગયા બાદ તેને પગલું ભર્યું હતું. દંપતી મૂળ નેપાળના રેહવાસી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.