-વિસાવદરથી- જુનાગઢ સવારે ૬:૩૦ વાગ્યે ઉપડતી જૂની એસ.ટી.બસ ફરીથી તેજ સમયે ચાલુ કરવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

-વિસાવદરથી- જુનાગઢ સવારે ૬:૩૦ વાગ્યે ઉપડતી જૂની એસ.ટી.બસ ફરીથી તેજ સમયે ચાલુ કરવા ટિમ ગબ્બર ની રજુવાત


ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા નયનભાઈ જોશીને સ્થાનિક લોકો તરફથી રજુઆત મળેલ છે કે, વિસાવદરથીજુનાગઢની એસ.ટી.બસ સવારે ૬/૩૦ વાગ્યે ઉપડતી વિસાવદરથી જુનાગઢ જતી એસ.ટી.બસ હતી જે જૂનાગઢ ડેપો ધારી - જૂનાગઢનાઈટ - વેકરિયા કરતી જે બસસવારે વિસાવદર થી ટાઈમ ૬:૩૦નો હતો તે ફેરવી ને ૫:૪૫નો કરવામાં આવેલ છે આજ સમયમાં બીજી બે એસ.ટી.બસ જૂનાગઢની છે એક પોરબંદર અને દુધાળા તેના કારણે ટ્રાંફિક પણ ઘટી ગયો છે અને ઇન્કમ પણ તૂટી ગયેલ છે . જો આ સમયમાં ફેરફાર કરી મૂળ સમય પત્રક મુજબ વિસાવદરથી જુનાગઢ બસ ચલાવવામાં આવે તો અપડાઉન કરતા નોકરિયાત લોકોને ખુબજ ઉપયોગી થાય તેમ છે કારણ કે આ બસ મારફતે જુનાગઢ અભ્યાસ માટે જતા સ્કૂલ,કોલેજના વિદ્યાર્થીઓને માટે એક પણ એસ.ટી.બસની સુવિધા નથી તેથી બેન્ક કર્મચારીઓ, મામલતદાર, તાલુકા પંચાયત, કોર્ટ તથા અન્ય ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કર્મચારીઓને ખુબજ મુશ્કેલીઓ પડતી હોય તેથી આ સમયે એક બસ ચાલુ કરવામાં આવે તો વિસાવદરથી જુનાગઢ જવાનો સમય સાંજના ૬-૩૦નો કરવામાં આવે તો પણ લોકોને ખુબજ ઉપયોગી એસ.ટી.બસનો લાભ મળી શકે તેમ છે લોકોની તથા ટિમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબી કારણની હોય તાત્કાલિક આ સમયે એસ.ટી.બસને ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.