કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત - At This Time

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત


કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત
-----
ગીર-સોમનાથ તા.૧: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે સાંજે ગીર સોમનાથ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતા તેમનું ગીર સોમનાથ જિલ્લાના મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રીશ્રીના સ્વાગત-સત્કાર માટે હેલીપેડ ખાતે
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન મૂછાર,ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે સી રાઠોડ,વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, પૂર્વ મંત્રી સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ શ્રી ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શીવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા,રેન્જ આઈ.જી. શ્રી નિલેશ ઝાઝડિયા,જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી શ્રી ગીર સોમનાથ જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. જેમાં તેઓ ચાડુવાવ ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' માં સહભાગી થશે ત્યારબાદ બીજા દિવસે તેઓ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથની દર્શન અને પૂજા-અર્ચન કરીને તેમના આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા પ્રસ્થાન કરનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.