ધજાળા મહંત શ્રી ભરતબાપુ નાં આશિર્વાદ સાથે રાજુભાઈ કરપડા નું સન્માન - At This Time

ધજાળા મહંત શ્રી ભરતબાપુ નાં આશિર્વાદ સાથે રાજુભાઈ કરપડા નું સન્માન


*ધજાળા લોમબાપુ ની જગ્યા એ આપ નેતા રાજુભાઈ કરપડા નું સન્માન કરતાં મહંત ભરતબાપુ*

ધજાળા લોમબાપુ ની જગ્યા મુકામે બીજ નાં પાવન દિવસે માનવ મહેરામણ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને રાત્રે ભવ્ય સંતવાણી ભજન સાથે લોક ડાયરો યોજાયો હતો જેમાં નામી કલાકારો એ હાજરી આપી હતી ત્યારે હાલ ચોટીલા ૬૩ વિધાનસભા નાં આપ પાર્ટી નાં ઉમેદવાર એવાં રાજુભાઈ કરપડા એ હાજર રહી ઠાકર નાં દર્શન કરેલ હતાં અને આમ આદમી પાર્ટી નાં કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા ત્યારે મંદિર નાં મહંત શ્રી ભરતબાપુ એ રાજુભાઈ કરપડા નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આર્શિવાદ આપેલ હતાં ત્યારે સમગ્ર માનવ મહેરામણ એ તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠ્યું હતું રાજુભાઈ કરપડા સુરેન્દ્રનગર જીલ્લા નાં ખેડૂતો નાં પ્રશ્નો બાબતે સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતો માટે લડત આપી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એ ચોટીલા વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં તેઓ એ પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે ભરતબાપુ નાં આશિર્વાદ મળતાં જ સમગ્ર આમ આદમી પાર્ટી નાં કાર્યકરો માં જુસ્સો જોવા મળ્યો હતો રાજુભાઈ કરપડા એડવોકેટ સાથે ગોલ્ડ મેડલ ધરાવે છે અને સમાજમાં પ્રભુત્વ ધરાવતા યુવા આગેવાન તરીકે સફળતા મેળવી છે જેમાં ધજાળા નાં ઠાકર નાં આશિર્વાદ થકી સોના માં સુગંધ ભળી છે અને આગામી સમયમાં વિજય બને તે માટે રણનીતિ સાથે પ્રચાર કાર્ય ને વેગ થી આગળ ધપાવી રહ્યા છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.