ક્ષત્રિય સમાજ દ્વારા બાયડ ખાતે અસ્મિતા સ્વાભિમાન રેલી યોજવામાં આવી. - At This Time

ક્ષત્રિય સમાજ દ્વારા બાયડ ખાતે અસ્મિતા સ્વાભિમાન રેલી યોજવામાં આવી.


અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે આજરોજ અસ્મિતા સ્વાભિમાન રેલી યોજવામાં આવી.
બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા બાયડ ખાતે રેલી યોજી બાયડ મામલતદાર શ્રી ને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી ભાજપ સરકારને ચેતવણી આપી છે કે 24 કલાકમાં પુરુષોત્તમ રૂપાલા ને ટિકિટ રદ કરો.
ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર શબ્દો ઉચ્ચારવા બદલ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી કડક પગલાં લેવા અને જો તેમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો ભવિષ્યમાં ચૂંટણી પ્રચાર કરવો ભાજપ માટે મુશ્કેલ બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.