ગોપાલનગરમાં એકલવાયું જીવન જીવતા તૃપ્તીબેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો - At This Time

ગોપાલનગરમાં એકલવાયું જીવન જીવતા તૃપ્તીબેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો


શહેરના ગોપાલનગરમાં એકલવાયું જીવન જીવતા તૃપ્તીબેન હસમુખરાય દેવમોરારી (ઉ.42)નો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. મૃતદેહ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મલતી વિગત મુજબ મૃતક તૃપ્તિબેનના ભાઈ તુષારભાઈ દેવમોરારી વિંછીયા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેમને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. તૃપ્તીબેન ગાયત્રીનગર મેઈન રોડ પર ગોપાલનગર શેરી નં.9માં પોતાના મકાનમાં એકલા રહેતા હતા. ગત રાત્રે તેમના ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
ત્યારે સગા સબંધીઓની હાજરીમાં ઘર ખોલતા તૃપ્તીબેનનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અનુમાન મુજબ બેથી ત્રણ દિવસ પહેલા તૃપ્તીબેનનું મોત થયું હોય શકે, મોતનું કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાયું છે. તૃપ્તીબેન અપરિણીત હતા. 2 ભાઈ અને 1 બહેનમાં વચેટ હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.