મહીસાગર બાલાસિનોર ખાતે અંદાજિત રૂ 1024,94 લાખ ના ખર્ચે પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

મહીસાગર બાલાસિનોર ખાતે અંદાજિત રૂ 1024,94 લાખ ના ખર્ચે પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું


મહિસાગરના બાલાસિનોર ખાતે અંદાજિત રૂ.૧૦૨૪.૯૪ લાખના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી -૫૬ તથા ડી-૦૨ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું.

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરાયું

લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપ ખાતેથી નવીન ૨૫ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

બસને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે માટે જ્યાં ત્યાં કચરો ફેકી ગંદકી ફેલાવવી નાં જોઈએ અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ - મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

મહીસાગર જિલ્લામાં અંદાજિત ૩.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ, ૨૫ નવી એસ ટી બસને લીલી ઝંડી અને બાલાસિનોર ખાતે અંદાજિત ૧૦૨૪.૯૪ લાખના ખર્ચે કક્ષા બી -૫૬ તથા ડી-૦૨ પોલીસ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નવી ૨૫ બસ થકી આ વિસ્તારના નાગરિકોના સેવામાં વધારો થશે અને ખાસ કરી યુવાન વિદ્યાર્થી કે જેઓ રોજ બસમાં મુસાફરી કરી પ્રવાસે જતા હોય છે તેઓને પ્રવાસમાં સરળતા રહેશે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા ૧૨૦૦ થી વધારે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આવનારા ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ બસો લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાશે. આ દરેક બસને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે માટે જ્યાં ત્યાં કચરો ફેકી ગંદકી ફેલાવવી ના જોઈને અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, બાલાસિનોર ખાતે પોલીસ આવાસો નવીન બનેલ મકાનોમાં જે લોકોને પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ સૌ લોકો સરકારી ઘર નહિ પણ પોતાના સપનાનું ઘર સમજી પોતાનું ઘર હોઈ તેમ સ્વચ્છ રાખે એવો અનુરોધ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે ગુજરાતની શાંતિ, સુરક્ષા અને કાયદાના રક્ષક એવા પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારોને ઉત્તમોત્તમ આવાસ સુવિધા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્ણ રીતે કાર્ય કરી રહી છે. રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને હિત માટે સતત તૈનાત એવા આપણા કર્મીઓ અને તેમના પરિવારોની સુખાકારી અને કલ્યાણ વિચારવું એ રાજ્ય સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે .ગુજરાતમાં રોડ અકસ્માત મૃત્યુ કઈ રીતે ઘટાડી શકાય તે માટે અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૨૦૨૨ માં ૧૧૨ અકસ્માત થયા હતા અને તેની સરખામણીમાં ચાલુ વર્ષે ૨૦૨૩ માં જિલ્લામાં ૮૦ અકસ્માતના બનાવ બન્યા હતા તે ચાલુ વર્ષે ૩૨ જેટલા ઓછા અકસ્માતના બનાવ બનતા મહીસાગર જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રી, ગૃહરાજ્ય મંત્રીશ્રી, ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લાના ટોચના અધિકારીઓ સહિત સો દ્વારા 25 નવી બસોને લીલીઝંડી મળ્યા બાદ તેમાંની જ એક બસમાં બેસી એક ટુંકી મુસાફરી કરવામાં આવી હતી જે દરમ્યાન રસ્તામાં અચાનક જ ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા બસને ચાની લારી પર થોભાવી એક સામાન્ય જનની માફક ચાની ચુસ્કી સાથે ઉપસ્થિત સર્વે સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા, રેન્જ આઈ જી શ્રી આર. વી. અસારી, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,અગ્રણી શ્રી દશરથભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક, પોલીસ અને એસ ટી વિભાગના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.