સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરુ વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે - At This Time

સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરુ વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે


સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરુ
વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે

રાજકોટ લોકસભાના ઉમેદવારો ડૉ હેમાંગભાઈ જોશી, મનસુખભાઈ વસાવા, પ્રભુભાઈ વસાવા અને મુકેશભાઈ દલાલને રૂબરૂ મળી અહિંસા યાત્રા અંતર્ગત વિસ્તૃત માહિતી અને 8 મુદ્દાની રજૂઆત કરાઈ સમસ્ત મહાજન દ્વારા વિવિધ લોકસભા ચુંટણીનાં ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા, જીવદયા પ્રવૃતિઓ અંગેનું અહિંસા યાત્રાનું આવેદન પાઠવાઈ રહ્યું છે છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહના માર્ગદર્શન મુજબ દિપકભાઈ રાણપુરા અને સમસ્ત મહાજનની ટીમ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉ હેમાંગભાઈ જોશી, ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને સુરત લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલને રૂબરૂ મળી અહિંસા યાત્રા અંતર્ગત વિસ્તૃત માહિતી અને 8 મુદ્દાની રજૂઆત કરવામાં આવી. જેમાં સૌ ઉમેદવારોએ સારો પ્રતિસાદ આપ્યો, તથા ગૌ માતાના આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજન દ્વારા આ અગાઉ પણ મહેસાણાનાં ઉમેદવાર હરિભાઈ પટેલ, પાટણનાં ઉમેદવાર ડાભીજીને, દીપકભાઈ રાણપુરા દ્વારા સુરેન્દ્રનગરનાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને, પ્રકાશભાઈ સોની દ્વારા હિંગોલી, મહારાષ્ટ્રનાં કેન્દ્રીય મંત્રી ભાગવતજી કરાડ, મહારાષ્ટ્રનાં મંત્રી ઉદયજી સામંત, માજી ખાસદર, એકટર ગોવિન્દા, લોકસભા ઉમેદવાર બાબુરાવજી કદમ, મહેન્દ્રભાઈ શેઠ કરોડા પાર્શ્વનાથ તીર્થ, ઉદયપુર, રાજસ્થાન ખાતે ચિતોડગઢ, રાજસ્થાનનાં લોકસભા ઉમેદવાર ચંદ્રપ્રકાશ જોશી, અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના દિનેશભાઈ મકવાણા, ખેડાના લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સહિતનાઓને મળી અહિંસા યાત્રાનું આવેદન પાઠવવામાં આવ્યું હતું.લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો પાસે લોકોને અબોલ પશુ, પક્ષી , જળ ,જંગલ અને સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે માગણી કરવા અને આ માટે વચન માગવા સમસ્ત મહાજન દ્વારા અહીંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન જીવંત પ્રાણીઓ - પક્ષીઓની નિકાસ અટકાવી, કુદરતી ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, નદીઓ, નાળાઓ અને તળાવોનું સુરક્ષા કરવી જેથી પાણીનું રક્ષણ થાય, દેશી વૃક્ષો જ વાવવા સહિતની માગણી કરી અને આ બાબતે ઉમેદવારો પાસેથી વચન લેવા અપીલ કરવામાં આવે છે. આ સિવાય ભારતમાંથી માછીમારીને પ્રોત્સાહિત કરવાનું બંધ કરવા અને દેશમાં પાંજરાપોળ અને તમામ ગૌશાળાઓને પ્રતિ દિવસ પશુ દીઠ રૂ. 100/- સબસિડી આપવા, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ભારતના 6.50 લાખ ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા વગેરે મુદ્દાઑનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબતે તમામ રાજકીય પક્ષોનાં ઉમેદવારો પાસે વચન લેવામાં આવી રહ્યા છે. સમસ્ત મહાજન દ્વારા ભારતની 100 કરોડ જીવદયા પ્રેમી જનતાને પોતાના ક્ષેત્રનાં લોકસભા ઉમેદવારોને મળીને અહિંસા યાત્રાનું આઠ મુદ્દાનું આવેદન પત્ર પાઠવવા માટે વિનંતી કરવામાં આવી છે. સમસ્ત આયોજન અંગે સમસ્તમહાજનને અર્હમ યુવા સેવા ગ્રુપ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન(રાજકોટ), ગૌશાળા– પાંજરાપોળો વગેરે સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. અહિંસા યાત્રાની વિશેષ વિગતો માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અને મિત્તલ ખેતાણી (મો. 98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.