ચોટીલા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જાહેર કરાઈ. - At This Time

ચોટીલા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જાહેર કરાઈ.


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી. આર, પાટીલ સાહેબ ગુજરાત રાજયના મુખ્યમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી શ્રી હિંમતભાઈ પડશાળા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચોટીલા એ.પી.એમ.સી માં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલ તથા વેપારી પેનલના તમામ સભ્યોનો બિનહરીફ વિજય થવા બદલ અભિનંદન પાઠવ્યા.

ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ
સહકારી ક્ષેત્રનાં રાજકારણમાં પાર્ટીએ પકડ જમાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા નો વિષય.
ચોટીલા માર્કેટીંગ યાર્ડ ખાતે સોમવારે નામાંકન પ્રક્રિયા યોજાયેલ જેમાં ભાજપ પ્રેરીત ખેડૂત 10 અને વેપારી 4 પેનલ મળી 14 ડીરેક્ટરોની યાદી રજૂ કરાઇ હતી. નિર્ધારીત સમય સુધી અન્ય કોઇ ઉમેદવારી રજૂ ન થતા ભાજપ પ્રેરિત સમગ્ર પેનલ બિનહરીફ જાહેર કરાઈ હતી.
પ્રથમ વખત ચોટીલા યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલ બનતા ભાજપ માટે ખુશી નો માહોલ.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી. સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.