માલીવાડા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ અને ઉજવણી કરાઈ - At This Time

માલીવાડા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ અને ઉજવણી કરાઈ


માલીવાડા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ અને ઉજવણી કરાઈ

અહેવાલ હુસેન દીવાન તસવીર મોઈન દીવાન હીમતનગર

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને લઈને હિંમતનગર તાલુકાના માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામના મંદિરોને શણગારવામાં આવ્યા હતા તેમજ ગામમાં શ્રીરામની યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ગામના પ્રવેશ દ્વારે ભવ્ય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો

આ પ્રસંગે ગામમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ગામના હનુમાન મંદિરથી ભવ્ય યાત્રા નીકળી હતી જેમાં યાત્રાના આયોજક સુનિલભાઈ વણઝારા, વિશાલભાઈ વણઝારા ,પ્રવીણભાઈ ભીલ, જગાજી ભીલ, મનોજ રાઠોડ, ભઈલાલભાઈ ,સંજય ભાટી ,વનરાજ ચાવડા તેમજ મુખ્ય મહેમાનોમાં વિજયભાઈ વણઝારા તાલુકા પંચાયતના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા સલીમભાઈ કણિયા, હુસેનભાઇ દિવાન, ઈકબાલભાઈ મેમણ, મોહસીન બાવન, તાજુભાઈ મકરાણી, મુન્નાભાઈ લુહાર ,છગનભાઈ બાઘોંરા ,બાદરજી બાઘોરા, પારુલ બેન મકવાણા, તેમજ ગામના અન્ય આગેવાનો સહિત સમગ્ર ગ્રામની જનતા આ ભવ્ય યાત્રામાં જોડાઈ હતી યાત્રાબાદ હનુમાન મંદિરે પ્રસાદી પણ રાખવામાં આવી હતી આમ આજનો આ પર્વ માલીવાડા વિસ્તારમાં શાંતિપૂર્ણ અને કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રિપોર્ટ સાનિયા દિવાન હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.