બોટાદનાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો - At This Time

બોટાદનાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો


બોટાદનાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવવામાં આવ્યું કે આગામી પોષ સુદ,બારસ વિક્રમ સવંત ૨૦૮૦, સોમવાર,તા.૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના શુભદિવસે પ્રભુ શ્રી રામલલ્લાનું બાલ સ્વરૂપ નુતન રીતે,શ્રી રામ જન્મભૂમી ઉપર બની રહેલુ નવું મંદિર જેના ગર્ભગ્રહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે,આ દિવસે તમામ હિંદુઓ અને પ્રભુશ્રી રામભક્તો આ મહાપર્વને દિવાળીની જેમ ઉજવણી કરવાના છે.આ એક ઐતિહાસિક પર્વ બની રહે અને દરેક પ્રભુશ્રી રામભક્તો રામલલ્લા દર્શન ઘરે બેસીને કરી શકે જેના માટે સમગ્ર ગુજરાતમાં એક દિવસની જાહેર રજા રાખવામાં આવે તેમજ મારા બોટાદ જીલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ નોનવેજની દુકાનો,લારીઓ તેમજ કતલખાનાઓ એક દિવસ બંધ રાખવા અંગે જરૂરી સુચન તેમજ હુકમો કરવામાં આવે તેવી માંગણી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.