રાજકોટમાં ટેન્કર હડફેટે પિતા-પુત્રના કમકમાટીભર્યાં મોત - At This Time

રાજકોટમાં ટેન્કર હડફેટે પિતા-પુત્રના કમકમાટીભર્યાં મોત


રાજકોટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર હડફેટે પિતા-પુત્રના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ ઘટના બની હતી. જેમાં 45 વર્ષીય પિતા શૈલેષભાઈ મગનભાઈ પરમાર અને 21 વર્ષીય પુત્ર અજય બાઈક પર જઇ રહ્યા હતા. ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનાર કાળમુખા ટેન્કરનો ચાલક ફરાર થઇ ગયો હતો. લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસ દોડી ગઇ હતી. સ્થળ પર જ મૃતકોના પરિવારજનોના ભારે કલ્પાંતથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
બનાવની વિગત મુજબ આજે વહેલી સવારે રાજકોટના સંત કબીર રોડ પર સદગુરુનગર, ગોકુલ પાન વાળી શેરીમાં રહેતા શૈલેષભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.49, રહે. સંત કબીર રોડ, સદગુરુ) અને તેમનો પુત્ર અજય (ઉ.વ.25) બાઈક પર નીકળ્યા હતા. શૈલેષભાઇની ભત્રીજીના લગ્ન હોવાથી લગ્નની નાની મોટી ખરીદી કરવા માટે પિતા પુત્ર નીકળ્યા હતા. ઘરની શેરીથી થોડે આગળ સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે પુર પાટ ઝડપે આવતા ટેન્કરે બંન્ને પિતા પુત્રને બાઈક સહિત હડફેટે લીધા હતા.
બનાવમાં ટેન્કરના વ્હિલના જોટા નીચે આવી જતા શરીરનો છૂંદો થઈ ગયો હતો. પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શરીરના કટકા ભેગા કરી પોલીસે પીએમ અર્થે ખસેડયા હતા. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. મૃતકના પરિવારને જાણ થતાં સ્થળ પર દોડી આવેલા પરિવારજનોએ કલ્પાંત મચાવ્યો હતો. શૈલેષભાઈને સંતાનમાં બે પુત્રો છે. પુત્ર અજય સુરત રહે છે. એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરે છે.
કૌટુંબિક બહેનના લગ્ન હોવાથી બે દિવસ પહેલા જ અજય રાજકોટ આવ્યો હતો. શૈલેષભાઇ ઘરેથી જ ઇમિતિટેશનના ચેઇન કટિંગનું કામ કરતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. બી.ડિવિઝન પોલીસના પીઆઈ રવિ બારોટ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ફરાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.