ધાંગધ્રા ગામ ખાતે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરૂકુળમાં બે મહિના સુધી વૈદિક યક્ષ ચાલશે. - At This Time

ધાંગધ્રા ગામ ખાતે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરૂકુળમાં બે મહિના સુધી વૈદિક યક્ષ ચાલશે.


ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાપક સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પરાવાણીરૂપ વચનામૃત ગ્રંથરાજની પારાયણ સાથે સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના જાપ કર્યા એના પુરશ્ચરણ રૂપે વડતાલધામ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના પટાંગણમાં જ તારીખ 3 ડીસેમ્બર રવિવારથી લઈને તારીખ 31 જાન્યુઆરી 2024 બુધવાર સુધી એટલે કે, 60 દિવસ સુધી દિવ્ય હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભારતીય માનવ સમાજની સુખાકારી તેમજ ભારત દેશના સુકાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતની સરહદે ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોનું સ્વાસ્થ્ય પરમાત્મા સ્વસ્થ રાખે એવા શુભ આશયથી પૂ. ગુરુજીએવઆ યજ્ઞનો પ્રારંભ કર્યો છે સાથો સાથ આ યજ્ઞમાં લાભ લેનાર લાભાર્થીઓના જીવનમાં આધી, વ્યાધી અને ઉપાધિના ત્રિવિધી તાપ ટળે અને ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં સમૃદ્ધિ હાંસલ
કરે એ જ અભ્યર્થનાથી આ હરિયાગનું આયોજન થયું છે જેમાં વધુને વધુ લોકો આ યજ્ઞમાં બેસવાનો લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ કરી શકે એ હેતુથી આ યજ્ઞ સંપૂર્ણત નિ:શુલ્ક રાખવામા આવેલો છે પ્રાચીન ભારતમાં જે રીતે યજ્ઞશાળા ઊભી કરી યજ્ઞનારાયણ તેમજ તેના અધિષ્ઠાતા દેવ દેવીઓનું પૂજન અર્ચન કરી શાસ્ત્રોકત મંત્રો સાથે જવ, તલ અને ઘીની આહૂતિ અપાતી એ જ ઢબે તૈયાર કરાયેલી અદભૂત યજ્ઞશાળા બનાવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.