પાદરાના ખંડ્યાપુરામાં એક જ રાતમાં ચાર સ્થળેથી 8 લાખની મતા ચોરી તસ્કરો ફરાર. - At This Time

પાદરાના ખંડ્યાપુરામાં એક જ રાતમાં ચાર સ્થળેથી 8 લાખની મતા ચોરી તસ્કરો ફરાર.


પાદરા પોલીસ સામે તસ્કરોએ તરખાટ મચાવી પડકાર નાખ્યો છે . ખંડેરાવપુરા ગામમાં એક જ રાતમાં ત્રણ ઘર અને એક મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો . ખંડેરાવપુરા ગામની સીમ તેમજ ગામની વચ્ચે આવેલા મકાનોને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યા હતા , બીજીબાજુ તસ્કરોએ ભગાવનને પણ છોડયા નહિ . મદિરની દાનપેટીમાંથી પણ તેમણે ચોરી કરી હતી . આમ તસ્કરોએ પાદરા પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા છે . પાદરાના ડભાસાના પેટા પરા ખંડેરાવપૂરામાં રમણભાઈ જાદવના બંધ ઘરના પાછળની લોખંડની જાળી મારફતે પ્રવેશી ઘરમાં નીચેના માળે આવેલ રૂમમાં લાકડાના કબાટમાંથી એક સોનાનો હાર , 8 વીંટીઓ , સોનાની ચેન , ઝુમ્મર , ચાંદીના ત્રણ જોડ છડા તેમજ લોખંડની તિજોરીમાંથી રોકડા ~ 30000 મળી કુલ ~ 5 લાખની મતાની ચોરી કરી હતી . તથા રમેશભાઇ જાદવના બંધ ઘરમાંથી સોનાની વિંટી , ચેન તેમજ રોકડા ~ 60 હજાર મળી કુલ ~ 1 . 12 લાખની મતાની અને રાયસિંહ જાદવના ઘરમાંથી એક સોનાની ચેન તથા સોનાની 5 વીંટીઓ તથા રોકડા 7000 મળી કુલ ~ 1. 35 લાખની મતાની ચોરી થઇ હતી . જ્યારે હિતેશભાઇ જાદવના ઘર પાસે પાર્ક કરેલ તેમની હીરો બાઇક , સોના / ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ ~ 7 . 67 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.