રાણપુર તાલુકાનો ઓક્ટોબર-૨૦૨૪ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ” કાર્યક્રમ તા. ૨૩/૧૦/૨૦૨૪ના રોજ યોજાશે - At This Time

રાણપુર તાલુકાનો ઓક્ટોબર-૨૦૨૪ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ” કાર્યક્રમ તા. ૨૩/૧૦/૨૦૨૪ના રોજ યોજાશે


પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધી કરી શકાશે

રાણપુર તાલુકાનો ઓક્ટોબર-૨૦૨૪ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ” કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદના અધ્યક્ષસ્થાને તા. ૨૩/૧૦/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી કરી શકાય છે તેમ મામલતદાર, રાણપુર દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.