નળ સરોવર રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે વ્યક્તિનાં મોત - At This Time

નળ સરોવર રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે વ્યક્તિનાં મોત


- રાણાગઢથી ઘરે જઇ રહેલાઓને અકસ્માત નડયો- બાઇક સાથે પોતાનું વાહન ધડાકાભેર અથડાવનાર બાઇકચાલકનું પણ મૃત્યુ નિપજ્યુંવિરમગામ : વિરમગામ નળ સરોવર રોડ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. શાહપુર ગામ નજીક બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી આવી રહેલા બાઇક સવાર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક ચાલકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી.શાહપુર પાસે સર્જાયેલા બાઇક અકસ્માતની ઘટના અંગે વિશાલ નવઘણ ભરવાડ (રહે.મેણી)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના કાકા સાથે ગાયો મુકવા રાણાગઢ ગામે ગયા હતા. ત્યારે તેમના પિતા નવઘણભાઈ ભરવાડ બાઇક લઇને તેમને લેવા માટે આવ્યા હતા. ત્રણેય જણા બાઇક પર બેસીને રાણાગઢથી મેણી આવવા નિકળ્યા હતા. બાઇક તેમના પિતા ચલાવતા હતા. શાહપુર ગામ નજીક તેઓ પહોંચ્યા ત્યારે નળ સરોવર ચોકડીથી એક શખ્સ પૂરઝડપે એક બાઇક લઇને ગફલતભરી રીતે વાહન હંકારીને નવઘણભાઈની બાઇક સાથે અથડાયો હતો. જેમાં બાઇકચાલક નવઘણભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને ૧૦૮ મારફતે વિરમગામ સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમને મરણ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર બાઇક ચાલક બાબુભાઈ હીરાભાઈ પરમાર (રહે. કુમરખાણ)ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા વિરમગામ લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે નળ સરોવર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.