વીરપુર ના ગામો માં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન આપ્યું... - At This Time

વીરપુર ના ગામો માં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન આપ્યું…


વિરપુર તાલુકાના ખાંટા દાંતલા કોયડમ ચીખલી બાદ ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો ખેતી માટેનો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ફરી એકવાર વિરપુરની MGVCL કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે તાલુકાના ડેભારી વિસ્તારમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વિરપુરની એમજીવીસીલ કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે તાલુકામાં રવી સીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રી સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને રાત્રીના ઉજાગરા, કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબુર બનવું પડી રહ્યું છે તો બીજી તરફ રાત્રીના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જોકે રાત્રી વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર તાલુકાના ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે અગાઉ તાલુકાના ખાંટા દાંતલા કોયડમ ચીખલી સહિતના ૭ ગામોના ૧૦૦ થી વધુ ખેડૂતોએ એકત્ર થઇ MGVCL કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે, આગાઉ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રી સમયે જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રી સમયે ખેતરોમાં જતા ડરી રહ્યા છે તેવામાં રાત્રી સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે ત્યારે આવનારા દિવસોમાં દિવસે વિજ પુરવઠો આપવા આવે તેવી ખેડૂતોની માંગ સાથે વિરપુરની એમજીવીસીલ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહિસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.