ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ* - At This Time

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ*


દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અનેકો જગ્યાઓએ સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ નિમિતે ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમાં આર. એફ. ઓ. શ્રી મકવાણા, ફોરેસ્ટર્સ, બીટગાર્ડ્સ તેમજ રોજમદાર કર્મયોગીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા હેઠળ સફાઈ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.