માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા વડનગર વિસ્તારનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ અર્પણ કાર્યક્રમ યોજાયો. - At This Time

માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા વડનગર વિસ્તારનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ અર્પણ કાર્યક્રમ યોજાયો.


માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા વડનગર વિસ્તારનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ અર્પણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 12-11-2023ના રોજ શુભ દિપાવલી પ્રસંગે માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગરના સૌજન્યથી વડનગર વિસ્તારનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને મીઠાઈ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે માય ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગરના પ્રમુખ કમલેશભાઈ વૈદ્ય, વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરી, શિવરામભાઈ પ્રજાપતિ, બીપીનભાઈ જોશી અને ઉમેશભાઈ જહાએ ઉપસ્થિત રહી સૌ દિવ્યાંગ ભાઈ-બહેનોને નૂતન વર્ષના સાલમુબારક પાઠવી ધન્યવાદની લાગણી વ્યક્ત કરી હતી. મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ, વડનગરના મંત્રી હિતેશભાઈ ખત્રીએ માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ, વિસનગર સંસ્થાના સેવા પ્રકલ્પોને બિરદાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.