બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું - At This Time

બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું


મવડીમાં બાપાસિતારામ ચોક નજીક સ્વામીનારાયણ નગરમાં રહેતાં ઘોઘાભાઈ ટપુભાઈ માખેલા (ઉ.વ.80)આજે વ્હેલી સવારે પોતાના ઘરે ડેલીમાં સાડી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. સવારે ઉઠેલા પરીવારજનોએ જોતા ઘોઘા લટકતાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. ઘર પાસે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતાં 108ના ઈએનટીએ તેને જોઈ મૃત જાહેર કર્યા હતો.બનાવ અંગે જામ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી. પરીવારના જણાવ્યા અનુસાર, મૃતક લાંબા સમયથી માનસીક બિમારીથી પીડીત હતાં. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર ચાર પુત્રી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.