દહેગામ ની કંથારપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉજવણી કરવામાં આવી - At This Time

દહેગામ ની કંથારપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉજવણી કરવામાં આવી


, , , , આજે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દહેગામ તાલુકાની કંથારપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શાળાનાં વિધાર્થીઓ નવા કપડાં પહેરી ને શિક્ષક બનીને ડોક્ટર રાધાકૃષ્ન સર્વોપલ્લી સાહેબ ની યાદમાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. કંથારપુરા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ તથા શિક્ષકો દ્વારા આજના દિવસ માટે શિક્ષક બનેલા વિધાર્થીઓને શિક્ષક બનવા માટે પ્રોત્સાહિત કરયા હતા. આજનાં શિક્ષક દિવસ નિમિત્તે શાળા નાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને ડોક્ટર રાધાકૃષ્ણ સર્વોપલ્લી વિશે જાણકારી આપવામાં આવી હતી.કંથારપુરા પ્રાથમિક શાળા નાં વિધાર્થીઓ આજે પોતે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક બનીને શાળાના તમામ ક્લાસમાં અન્ય વિધાર્થીઓને ભણાવતા તેમના મનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. , , , , રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.