પરણીતા ને ગળામાં જેરી જીવડું કરડી જતાં મોત - At This Time

પરણીતા ને ગળામાં જેરી જીવડું કરડી જતાં મોત


મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા મહિલાને કોટડાનાયાણી ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે જેરી જીવડું ડોકના ભાગે કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ, જૂના મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.24માં રહેતાં પુજાબેન ગોપાલભાઈ માનસુરીયા (ઉ.વ.41)નામના મહિલા ગત તા.1ના કોટડા નાયાણી ગામે પરિવાર સાથે માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતાં ત્યારે ગળાના ભાગે જેરી જીવડું કરડી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા ગત રાત્રીના કાયમના માટે આંખ મીચી લીધી હતી. બનાવની જાણ બી.ડીવીઝન પોલીસને કરવામાં આવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતકને સંતાનમાં એક દિકરો બે દિકરી છે પતિ ગોપાલભાઈ રીક્ષા ચાલક છે. મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.