તા.૧૩.૦૫.૨૦૨૩ના રોજ વિસાવદર કોર્ટમાં યોજાશે લોક અદાલત
તા.૧૩.૦૫.૨૦૨૩ના રોજ વિસાવદર કોર્ટમાં યોજાશે લોક અદાલતનાલસાની ગાઈડલાઈન મુજબ અને જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તા.13/05/2023ના રોજ વિસાવદર તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા વિસાવદર તાલુકામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેન્ક લેણાના કેસ, વીજબીલ, લગ્નસંબંધી કેસ, ફોજદારી તથા દીવાની સમાધાનપાત્ર કેસો મૂકી શકાશે.જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે તાલુકા કાનુની સેવા સમિતિ, વિસાવદરના સચિવશ્રી સી.બી.ભટ્ટીનો કોર્ટમાં સંપર્ક કરવાનો રહેશે.
તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબે ઉપરોક્ત માહિતી આપતાં વધુમાં વધુ પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા આવાહન કરેલ છે.
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.