જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ-રેહાબિલિટેશન સેન્ટર વિરુદ્ધની PIL અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી - At This Time

જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ-રેહાબિલિટેશન સેન્ટર વિરુદ્ધની PIL અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી


અમદાવાદ, તા. 20 ઓગસ્ટ, 2022,શનિવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમર્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (GZRRC) દ્વારા જામનગર ગુજરાતમાં સ્થપાઈ રહેલા પ્રાણીસંગ્રહાલયના અનેક પાસાઓ પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી છે.સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતુ કે, GZRRC સામે લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ પણ જાતના તર્ક અથવા આધારનો અભાવ છે અને તે " ન્યૂઝ અહેવાલો પર આધારિત" હતા.આ પિટિશન એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપનાને પડકારવામાં આવી હતી અને તેણે GZRRC દ્વારા ભારતમાં અને વિદેશમાંથી પ્રાણીઓ લાવવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ GZRRCના ઓપરેશન્સ અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે SITની રચના કરવાની પણ માંગ કરી હતી. કોર્ટે GZRRCની માળખાકીય સુવિધાઓ, કામગીરી, પશુચિકિત્સકો, ક્યુરેટર્સ, જીવવિજ્ઞાનીઓ, પ્રાણીશાસ્ત્રીઓ અને તેના દ્વારા સંકળાયેલા અન્ય નિષ્ણાતો વિશેની રજૂઆતોની પણ નોંધ લીધી હતી.GZRRC એ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના કરી રહ્યા છે, જે શૈક્ષણિક હેતુઓ માટે અને જાહેર પ્રદર્શન માટે ખુલ્લું રહેશે. જ્યારે તેની બાકીની સુવિધાઓ જરૂર હોય તેવા પ્રાણીઓના બચાવ અને કલ્યાણ માટે બચાવ કેન્દ્રો (Rescue Center) તરીકે કામ કરશે. પ્રાણીઓના કલ્યાણ, બચાવ અને પુનર્વસન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં કામ કરશે. GZRRCએ તેનો વિગતવાર જવાબ રજૂ કર્યા પછી કોર્ટે 16 ઓગસ્ટ 2022ના રોજ આ અંગેની સુનાવણી હાથ ધરી અને GZRRC સામે ઉઠાવવામાં આવેલી તમામ દલીલોને નકારી કાઢી અરજીને ફગાવી દીધી છે.GZRRC સંસ્થાના વડા શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમે GZRRC વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. અમે પ્રાણીઓના કલ્યાણ માટે અમારા કાર્યો કરવાનું સતત ચાલુ રાખીશું. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ઉગારવાની જરૂર હોય તેવા પ્રાણીઓના સંરક્ષણ, સંભાળ અને સંવર્ધન માટે તેમજ પ્રાણીઓને વિશ્વ કક્ષાની પુનર્વસન સંભાળ પૂરી પાડવા માટે GZRRC પ્રતિબદ્ધ છે."પ્રાણી સંગ્રહાલયના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કામગીરી, પશુચિકિત્સકો, ક્યુરેટર્સ, જીવવિજ્ઞાનીઓ, પ્રાણીશાસ્ત્રીઓ તથા તેના દ્વારા સંકળાયેલા અન્ય નિષ્ણાતો અને સંસ્થા કાયદાની દૃષ્ટિએ તેની પ્રવૃત્તિઓ નિયમાનુસાર ચલાવી રહ્યાની GZRRC દ્વારા કરાયેલી રજૂઆતોની અદાલતે નોંધ લીધી હતી.GZRRCએ અદાલત સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તે એક ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના કરશે જે ખાસ કરીને શૈક્ષણિક હેતુસર જાહેર પ્રદર્શન માટે ખુલ્લું રહેશે, જ્યારે તેની બાકીની સુવિધાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓના કલ્યાણ, બચાવ અને પુનર્વસન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે બચાવ-સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓના કલ્યાણ માટે રેસ્ક્યુ સેન્ટર તરીકે કામ કરશે.આક્ષેપો નબળા GZRRC સામેના આક્ષેપો નબળો આધાર ધરાવનારા સમાચાર અહેવાલો પર આધારિત હતા, કોર્ટ માટે GZRRCને પરવાનગીઓ અને મંજૂરીઓ આપનારા સત્તાવાળાઓના પક્ષે "કોઈ નબળાઈ દેખાતી નથી"કોર્ટે GZRRCની રજૂઆતની મંજૂરી સાથે એ પણ નોંધ્યું હતું કે, તે એક બિનનફાકારક સંસ્થા છે જે પ્રાણીઓના કલ્યાણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કામ કરે છે અને જો કોઈ નફો થશે તો તેનો ઉપયોગ GZRRC દ્વારા બચાવ કાર્ય હાથ ધરવા માટે જ ઉપયોગ કરવામાં આવશે.અદાલતે કહ્યું કે તેને GZRRC પર લગાવવામાં આવેલા આરોપો અંગે 'કોઈ તર્ક કે આધાર' મળ્યો નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.