જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા ફટકારેલ - At This Time

જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા ફટકારેલ


જસદણ ન્યાયાલય દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા ફટકારેલ, આ કેસની ખરી હકીકત જોતા જસદણ શહેરમાં રહેતા સુરેશભાઈ એન. છાયાણીએ મોરબી જિલ્લાના સનાળા ગામે રહેતા અજયભાઈ રમણીકભાઈ ભટ્ટીને મિત્રતાના દાવે તથા વ્યવહારિક કામે ત્રણ લાખ રૂપિયા આપેલ. જેના અનુસંધાને આરોપીએ સિક્યુરિટી પેટે ફરિયાદીને આંધ્ર બેન્ક મોરબી શાખાનો ચેક નંબર ૦૦૦૦૩૧ અને ખાતા નંબર ૧૯૩૨૧૦૧૦૦૦૨૮૮૯૦ નો ૦૫/૧૦/૨૦૨૧ ના રોજ ચેક આપેલ. જે ચેક ફરિયાદીએ સમય મર્યાદા પૂરી થતાં જસદણ બ્રાન્ચની બેન્ક ઓફ ઇન્ડીયામાં વટાવેલ. જે તારીખ- ૦૬/૧૦/૨૦૨૧ ના રોજ "અધર રીજન્સ " ના શેરાવાળો ચેક રિટર્ન મેમો સાથે પરત ફરેલો હતો. આમ ફરિયાદીએ એડવોકેટ મારફતે આરોપીને - ૧૬/૧૦/૨૦૨૧ ના રોજ પોસ્ટ રજીસ્ટર એ.ડી.થી નોટીસ આપેલ. જે નોટિસનો આરોપીએ જવાબ આપેલ નહીં. ફરિયાદી દ્વારા જસદણ ન્યાયાલયમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કરેલ. જે કેસ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળે. આમ દલીલો - આધાર પુરાવો અને વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ નામદાર જજ સાહેબ દ્વારા આ કામના આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોર્ટની કલમ ૨૫૫ (૨) અન્વયે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી તેઓને છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ ૩૫૭ (૩) અન્વયે સદરહું બંને ચેકની રકમ કુલ ત્રણ લાખ રૂપિયા ફરિયાદીને વળતર તરીકે ૩૦ દિવસમાં ચૂકવી આપવા અને જો આરોપી સદરહું રકમ ફરિયાદીને ચુકવવામાં કસુર કરે તો વધુ ૪૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબ દ્વારા ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.