ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરાયું* - At This Time

ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરાયું*


*ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરાયું*
---------------
*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ૧,૭૮,૦૦૦ ચોરસ મીટર ગૌચરની જમીન ખૂલ્લી કરાઈ*
---------------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત ૨૬ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે કુલ ૧,૭૮,૦૦૦ ચોરસ મીટર ગૌચરની જમીન ખૂલ્લી કરાઈ હતી. આશરે રૂ. ૬ કરોડ ૫૦ લાખ કિંમતની જમીનને ગ્રામ પંચાયત દ્વારા જેસીબી તેમજ ટ્રેકટરની મદદથી ખૂલ્લી કરાવવામાં આવી હતી.

હજુ વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા દબાણ ખૂલ્લું કરવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવશે.

આ ઉપરાંત આવતીકાલથી મહોબતપરા ગામે પોલીસ પ્રોટેક્શન હેઠળ ગૌચરની જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

00 0000 000 000 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image