સોખડામાં મોબાઈલ ધંધાર્થીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યુ - At This Time

સોખડામાં મોબાઈલ ધંધાર્થીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યુ


સોખડામાં 25 વર્ષીય મોબાઈલના ધંધાર્થીએ અકળ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ સોખડામાં રહેતો કિશન વિનુભાઈ વનાળીયા (ઉ.વ.25) ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે પોતાના રૂમમાં જઈ પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના મોટાભાઈએ રૂમમાં તપાસ કરતા યુવક લટકેલી હાલતમાં બેભાન જોવા મળતા તેને નીચે ઉતારી તાત્કાલીક 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
પરંતુ યુવક સારવારમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર મૃતક મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતો અને પાંચ ભાઈમાં નાનો તેમજ સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પરીવારજનો પણ અજાણ હોવાનું રટણ કયુર્ં હતું. બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.