કનેસરામા યુવાગ્રુપ દ્વારા દ્વિતીય રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ - At This Time

કનેસરામા યુવાગ્રુપ દ્વારા દ્વિતીય રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ


જસદણ તાલુકાના કનેસરામા યુવાગ્રુપ કનેસરાહંમેશા રમત ગમત માટે ઉત્સાહિત હોઈ છે. આ યુવા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે એક દિવસિય રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ આયોજન માત્ર લોકોમા રમત ગમત પ્રત્યે રસ કેળવાઈ અને નવી પેઢીના બાળકો મોબાઈલથી દુર રહીને મેદાન તરફ વળે એવા હેતુ માટે જ કરવામા આવ્યુ હતુ. તેમા આજુબાજુના વિસ્તારની કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો તેમા પહેલા નંબરે રાજકોટની ટીમ આવી હતી અને બીજા નંબરે ગોલીડાની ટીમ આવી હતી. આ ટુર્નામેન્ટમા રાત્રે શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમના મહંત શ્રી નિલેશબાપુ દ્વારા નાસ્તાની પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી. ટુર્નામેન્ટને અંતે પ્રથમ અને દ્વિતીય નંબરે આવનાર ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ આપવામા આવ્યુ હતુ. જોકે કનેસરા ગામના ખેલાડીઓ ખેલ મહાકુંભમા પણ ખૂબ સારું પ્રદર્શન કરીને ઝોન તેમજ રાજ્ય સુધી રમવા જતા હોઈ છે. અને આજે પણ યુવા ગૃપ અને ગામ લોકોના સહયોગથી આ ટુર્નામેન્ટનુ સફળ આયોજન કરવામા આવ્યુ હતુ. આ આયોજનથી અન્યને પણ પ્રેરણા મળે અને યુવાનોને રમત પ્રત્યે રસ પણ જાગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.