શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૪૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર સ્વ.તારા બહેન વડોદરિયા ની સ્મૃતિ માં ૪૮૬ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી સુનીલભાઈ વડોદરિયા પરિવાર ની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સુભાગી ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્ય થી શ્રી સુનીલભાઈ પારેખ પરિવારની ઉપસ્થિતિ માં ૪૮૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૪ મે નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 45 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. સૌરભ મહાજન ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૧૪ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૧ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.......

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.