અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા - At This Time

અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા


મંદિર ખાતે મહંત દિલીપદાસજી ના આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી.

અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ની નિયુક્તિ કરવામાં આવતા ભક્તોએ ખૂબ જ આનંદ અને ખુશી વ્યક્ત કરી છે . આ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે આજે જગન્નાથ મંદિર ખાતે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. મંદિર ખાતે ભક્તો દ્વારા ફુલ માળા પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદન આપવામાં આવ્યા હતા. મહંત દિલીપદાસજીએ સનાતન ધર્મની રક્ષા તેમજ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેમજ દરેક મંદિરોમાં સેવાકીય પ્રવૃતિ થકી સમાજના દરેક કાર્યોમાં ઉન્નતિ થાય એવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે અખિલ ભારતીય સંત સમિતિ નો આભાર વ્યક્ત કર્યો હતો. મહંત દિલીપદાસજીને ગુજરાતના અધ્યક્ષ બનાવવામાં આવતા ગાંધીનગર જિલ્લાના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ધર્મપ્રેમી ભક્તો બીપીનભાઈ નાયક તેમજ નાયક ભોજક સમાજ ના પ્રમુખ સોમાભાઈ ચીમનભાઈ નાયક સહિતના આગેવાનોએ દિલીપદાસજી મહારાજનું ફુલ માલા પહેરાવીને સ્વાગત કર્યું હતું અને મહંતના આશીર્વાદ મેળવ્યા હતા.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.