નર્સિંગનું કામ કરતા યુવકને પથરીનો દુ:ખાવો થતાં પોતાના હાથે બાટલો ચડાવ્યા બાદ મોત - At This Time

નર્સિંગનું કામ કરતા યુવકને પથરીનો દુ:ખાવો થતાં પોતાના હાથે બાટલો ચડાવ્યા બાદ મોત


શહેરના ઘંટેશ્વર પાર્ક કલ્યાણી પાર્કમાં રહેતા યુવકને પથરીનો દુ:ખાવો થતાં પોતાનાં હાથે બાટલો ચડાવ્યા બાદ બેભાન થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે ઘંટેશ્વર પાર્ક શ્યામ એપાર્ટમેન્ટ પાસે કલ્યાણી પાર્કમાં રહેતાં જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પરવાડિયા (ઉ.વ.30) ને રાત્રિના પથરીનો દુ:ખાવો થતા પોતાની હાથે બાટલો ચડાવ્યો હતો. બાટલો ચડાવ્યા બાદ બે ભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યાં હતાં. મૃતક પરણિત હતો. એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેઓ સીનર્જી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં બ્રધર તરીકે નોકરી કરતા હતા. શંકાસ્પદ મોત જણાતા ફોરેન્સિક પીએમ કરાયું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.