બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો, બે લોકોના મોત - At This Time

બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો, બે લોકોના મોત


મહીસાગર જીલ્લાના બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ત્રિપલ અકસ્માત સર્જાવાની ઘટના સર્જાઈ હતી.જેમાં કાર, એક્ટિવા અને મોટર સાયકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે ઈજાગ્રસતોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે મૃતકો પૈકી એક મહિલા વીરપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા હતા.અકસમાતની જાણ થતાં ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું.બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસના માણસો પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી‌.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.