વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : માનનીય મુખ્યમંત્રી શ્રી - At This Time

વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : માનનીય મુખ્યમંત્રી શ્રી


વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : માનનીય મુખ્યમંત્રી શ્રી

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે

અમદાવાદ, 30 જુલાઈ, 2023:

અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે "વસુધૈવ કુટુંબકમ" એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને અંગદાન સંબંધિત કલંકને હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે”

“જેમ આપણા માનનીય વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હમેશા “વસુધૈવ કુટુમ્બકમ”ના વિચાર પર ભાર મુકે છે, તેમ જ આખા વિશ્વને એક કુટુંબ અને કુટુંબને આપણું પોતાનું માનવું યોગ્ય છે.પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવી દેવા જેવા કપરા સમયમાં આવા નિર્ણયો લેવા મુશ્કેલ છે, પણ આ જ સમજ અંગદાન જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવા સરળ બનાવે છે. અને એટલે જ એના માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.
વધુમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાનનો નિર્ણય લીધો હતો જેના કારણે રાજ્યમાં કુલ 817 લોકોને નવજીવન મળ્યું છે.oooo રિપોર્ટર :- ઝેની શેખ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.