હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે" હરે રામ હરે રામ રામ રામ હરે હરે - At This Time

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે” હરે રામ હરે રામ રામ રામ હરે હરે


" હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે" હરે રામ હરે રામ રામ રામ હરે હરે " અખિલ બ્રહ્માંડમાં કણ - કણમાં જેમનો વાસ છે, નામ માત્ર થી પરમ શાંતિ મળે એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગાવનના મુખેથી પ્રગટ થયેલ " ગીતાજી " નો સાર " શ્રીમદ્ ભાગવત મહાપર્વ" સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રવાહ સ્વ. અરજણદાદા - કડવીબા નારોલા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે પટેલ વાડી દામનગરમાં યોજાઈ ગયેલ આ જ્ઞાનયજ્ઞમાં પરમ પૂજ્ય શ્રી શ્રીમદ્ રાધાગોવિંદ ગોસ્વામી મહારાજના કૃપાપાત્ર શિષ્ય શ્રીમાન ચંદ્રગોવિંડ દાસના કંઠે થી " તત્વ સાર" નો મહિમા સમજાવીને સમસ્ત નારોલા પરિવાર અને ભક્તજનોને વાધ્યવૃંદના સથવારે " કથા માહાત્મય" " વ્યાસ નારદ મિલન" શ્રી રામ જન્મ" શ્રી કૃષ્ણ જન્મ" " "બાળલીલા - ગોવર્ધન પુજા " નૃસિંહ પ્રાગટ્ય - વામન અવતાર" " સુદામા ચરિત્ર" " શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ" પ્રસંગોનું વર્ણન કરીને " શ્રી બહુચરાજી માં" - "જય જોડિયા દાદા" ના અવિરત સ્મરણ સાથે દામનગરની ભૂમિને પાવન કરી હતી,તે અવિસ્મરણીય ક્ષણો હંમેશા યાદ રહેશે." સત્ય સનાતન ધર્મની જય જય હો અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ ના મંત્રો અને નાદ મનુષ્ય જીવનને સફળ બનાવે છે જે સનાતન સત્ય છે.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.