ધંધુકામાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિને ભવ્ય રેલી અને સભા યોજાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિને ભવ્ય રેલી અને સભા યોજાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિતે ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા તમામ ધર્મના લોકોને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ દેશ અને સમાજમાં એકતા, સમાનતા જેવા મુદ્દાઓ પુરા પાડવા અથાગ પ્રયત્નો કર્યા હતા. આ રેલી સરકારી હોસ્પિટલ થી લઈને બસ સ્ટેન્ડ ચાર રસ્તા, બિરલા ચાર રસ્તા, ડો બાબાસાહેબ સ્ટેચ્યુ ખાતે સલામી આપી મોટી શાક માર્કેટ થઈને મીરાવાડી આંબેડકરનગર ખાતે સમાપ્ત થઇ હતી તે પછી મીરાવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલીમાં સ્વયંમ સૈનિક દળના કર્મશીલ સૈનિકો, ધંધુકા તથા આજુબાજુ ગામના લોકો, આગેવાનો યુવાનો ખુબ મોટી સંખ્યામાં જોડાઈને રેલીને સફળ બનાવી હતી.
રીપોર્ટર : સી કે બારડ પતંજલિ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.