જસદણમાં રવિવારે મહા રકતદાન શિબિર:રક્તદાતાઑને ઊમટી પડવા હાકલ - At This Time

જસદણમાં રવિવારે મહા રકતદાન શિબિર:રક્તદાતાઑને ઊમટી પડવા હાકલ


જસદણમાં દેખાવ વગર ચૂપચાપ સેવા કાર્ય કરતી સંસ્થા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટએ દસમાં વર્ષમા મંગલભેર પ્રવેશ કરતાં તે અનુસંધાને તેમનાં સેવાકીય સભ્યો દ્વારા આગામી તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૨:૩૦ કલાક સુધી ચિત્તલિયા કુવારોડ, સરદાર ચોક નજીક છાયાણી પરિવારની વાડી ખાતે એક મહા રકતદાન શિબિર યોજવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અત્યારે લોહીની જરૂરીયાત વાળા ઘણાં દર્દીઓ છે ઍ બાબતને લઈ ટ્રસ્ટના માનવતાવાદી સભ્યોએ આ આયોજન હાથ ધર્યું છે શિબિરમાં વધારેમાં વધારે રકતદાન થાય તે માટે ટ્રસ્ટએ જસદણ અને વીંછિયા પંથકનાં સ્વૈછીક રક્તદાતાઓને જાહેર અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ માનવસેવાના દરેક કાર્ય કોઈ પેંતરા કે ઢોલ પીટ્યા વગર ચૂપચાપ કરે છે જેનાથી હજજારો લોકોને રાહત મળી છે.
તેમના સભ્યોની કામગીરી અનેક મહાનુભવો અને સામાજિક કાર્યકરોની ગુડબુકમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.