રાજકોટમાં રવિવારે કોરોનાના 9 કેસ નોંધાયા, 10ને રજા અપાઇ - At This Time

રાજકોટમાં રવિવારે કોરોનાના 9 કેસ નોંધાયા, 10ને રજા અપાઇ


કેસ વધતા મનપાએ ટેસ્ટિંગ પણ વધારી દીધું.

રાજકોટમાં તારીખ 26 જૂનને રવિવારે કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યભરમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તરફથી મળતી વિગત મુજબ મનપા વિસ્તારમાં રવિવારે સાંજ સુધીમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 63856 થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.