વડાપ્રધાન મોદીના મિત્રના કારણે MSP લાગુ થઈ રહી નથી: સત્યપાલ મલિક - At This Time

વડાપ્રધાન મોદીના મિત્રના કારણે MSP લાગુ થઈ રહી નથી: સત્યપાલ મલિક


નવી દિલ્હી, તા. 22 ઓગસ્ટ 2022 સોમવારખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટીના મુદ્દે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે દેશના ખેડૂતોને હરાવી શકાય નહીં અને જ્યાં સુધી તેમની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. નૂહમાં એક કાર્યક્રમમાં બોલતા સત્યપાલ મલિકએ કહ્યુ કે જો એમએસપી લાગુ કરવામાં આવી નહીં અને આની પર કાયદેસર ગેરંટી આપવામાં આવી નહીં તો વધુ એક લડત થશે અને આ વખતે ભયંકર લડત થશે.તેમણે કહ્યુ કે તમે આ દેશના ખેડૂતોને હરાવી શકશો નહીં. તમે તેમને ડરાવી નહીં શકો. કેમ કે તમે ઈડી કે ઈન્કમ ટેક્સ અધિકારી મોકલી શકતા નથી તો તમે ખેડૂતોને કેવી રીતે ડરાવશો. એમએસપી એટલા માટે લાગુ નથી કરવામાં આવી રહ્યુ કેમ કે વડાપ્રધાનના એક મિત્ર છે જેમનુ નામ અદાણી છે. તેઓ અત્યારે પાંચ વર્ષમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.દેશને વેચવાની તૈયારી છેગુવાહાટી એરપોર્ટ પર હુ એક મહિલાને મળ્યો, તેમની પાસે ગુલદસ્તો હતો. મે તેમને પૂછ્યુ કે તેઓ ક્યાંથી આવ્યા છે તો તેમણે કહ્યુ કે અમે અદાણી તરફથી આવ્યા છીએ. મે પૂછ્યુ આનો અર્થ શુ છે તો તેમણે કહ્યુ કે એરપોર્ટ અદાણીને આપી દેવાયુ છે. અદાણીને એરપોર્ટ, પોર્ટ, મેજર યોજનાઓ આપી દેવાઈ છે અને એક પ્રકારે દેશને વેચવાની તૈયારી છે પરંતુ અમે આવુ થવા દઈશુ નહીં. અદાણીએ એક મોટુ ગોડાઉન બનાવ્યુ છે અને તેમાં સસ્તા ભાવે ખરીદેલા ઘઉંનો સ્ટોક રાખેલો છે. જ્યારે મોંઘવારી હશે ત્યારે તેને વેચશે. તો આ રીતે પીએમના મિત્ર લાભ કમાશે અને ખેડૂત ચૂકવણી સહન કરશે. આ ચલાવી લેવાશે નહીં અને આના વિરુદ્ધ લડત થશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.